આવો જાણીએ ક્યા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ.
- દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે,
- પરંતુ કેટલાક લોકો માટે દહીંનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે પેટની સમસ્યાઓથી બચાવે છે, હાઈ બીપીને ઘટાડે છે અને સાથે જ અનેક રોગોથી પણ બચાવે છે. લોકો તેમના આહારમાં દહીંમાંથી બનેલી વસ્તુઓનો પણ ચોક્કસપણે સમાવેશ કરે છે, જેમ કે સાદું દહીં, મીઠુ દહીં, છાશ, રાયતા વગેરે. કહેવાય છે કે જો ભારતીય થાળીમાં દહીં ન હોય તો ભોજન અધૂરું લાગે છે.પરંતુ, શું તમે જાણો છો કે દહીંનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હા, જે રીતે દરેક માટે કંઈ જ યોગ્ય નથી, તેવી જ રીતે કેટલીક સમસ્યાઓથી પરેશાન લોકો માટે દહીંનું સેવન નુકસાનકારક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કયા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ.
અસ્થમાના દર્દીઓએ દહીંનું સેવન ન કરવું જોઈએ
જો તમે અસ્થમાના દર્દી છો અથવા તમને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા છે તો દહીંનું સેવન ન કરો. જો હજુ પણ તમારે દહીં ખાવું જ હોય તો તમારે તેને દિવસના સમયે મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. ધ્યાન રાખો કે રાત્રે દહીંનું સેવન ન કરો.
એસિડિટીની સમસ્યામાં
જો તમને એસિડિટીની સમસ્યા હોય તો દહીંનું સેવન બિલકુલ ન કરો. તેનાથી તમારી પરેશાની વધી શકે છે.
સંધિવાની સમસ્યામાં
જો કે, દહીં હાડકાં અને દાંત માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આર્થરાઈટિસથી પીડિત દર્દીઓ માટે તે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી, તેઓએ દરરોજ દહીં ખાવાનું ટાળવું જોઈએ. આ સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે.
- ખોટા સમયે દહીં એક મોટી સમસ્યા બની શકે છે
રાત્રે દહીં ખાવાથી ખાંસી, શરદી, સાંધાના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. તેથી, જો શક્ય હોય તો, રાત્રે દહી ખાવાનું ટાળવું વધુ સારું છે. રાત્રે તેમજ વસંતઋતુમાં દહીં ન ખાવું જોઈએ. - પચવામાં મુશ્કેલી પડી શકે છે
રાત્રે દહીં ખાવાથી પચવામાં તકલીફ પડે છે. આ પ્રકારના ખોરાકને પચાવવા માટે ઉર્જા બળવાની જરૂર પડે છે. જમ્યા પછી તરત સૂવાથી પાચનતંત્ર નબળું પડે છે. દહીં બળતરા વધારે છે, તેથી જો શરીરમાં સોજો હોય તો તેને ન ખાવું.