મંગળસૂત્ર પહેરો છો તો જાણીલો આ નાની એવીં વાત, નહીતો જિંદગીભર આવશે પસ્તાવાનો વારો

mangalsutra 1

મંગલસૂત્રને વિવાહિત જીવનનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. તે કાળા મોતીની માળા છે, જે સ્ત્રીઓ તેમના ગળામાં પહેરે છે. તેની અંદર ઘણીવસ્તુઓ જોડાયેલી છે અને દરેક વસ્તુનો સંબંધ શુભ સાથે છે. એવું માનવામાં આવે છે કે મંગળસૂત્ર પહેરવાથી પતિની રક્ષા થાય છે અને પતિનાજીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. જ્યારે તે મહિલાઓ માટે સુરક્ષા કવચ અને સમૃદ્ધિનું પણ કામ કરે છે.

મંગળસૂત્રમાં પીળો દોરો હોય છે.

આ પીળા દોરામાં કાળા મણકા દોરવામાં આવે છે. મંગળસૂત્ર અને સોના અથવા પિત્તળનો પીળો દોરો ગુરુનું પ્રતીક છે.

એવું પણ માનવામાં આવે છે કે મંગળસૂત્રનો પીળો ભાગ દેવી પાર્વતી છે અને કાળો ભાગ ભગવાન શિવ છે.

આમ આ પહેરવાથી શિવની કૃપાથી સ્ત્રી અને તેના પતિની રક્ષા થાય છે.

ક્યારેય ન કરતા આ ભૂલ.

મંગળવારે મંગળસૂત્ર ન ખરીદો, કેમ કે આ ખુબ જ અશુભ માનવામાં આવે છે, આનાથી તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઘણી વખત મહિલાઓ મંગળસૂત્ર પહેરતી વખતે અજાણતાં કેટલીક ભૂલો કરી બેસે છે. આ ભૂલોની કિંમત તમારા પતિને ભોગવવી પડી શકે છે.આવી સ્થિતિમાં, તમારા ગળામાં મંગળસૂત્ર પહેરતી વખતે, તમારે કેટલીક વિશેષ સાવચેતીઓનું ધ્યાન રાખવું જોઈએ.

તમે ઘણીવાર જોયું હશે કે મહિલાઓ એકબીજાને વસ્તુઓ માંગીને પહેરવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, જો તેને કોઈના ગળામાં પહેરવામાં આવેલદાગીના ગમે છે, તો તે તેને પહેરવા માટે માંગે છે. 

પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પરિણીત મહિલાઓએ ક્યારેય કોઈ બીજાનું મંગળસૂત્ર મંગાવીને ન પહેરવું જોઈએ.

આમ કરવાથી પતિનું આયુષ્ય ઓછું થાય છે. તેથી હંમેશા આવું કરવાથી બચો.

જો તમે નોંધ્યું હોય તો દરેક મંગળસૂત્ર કાળા મોતી અને સોનામાંથી બને છે. 

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંગળસૂત્રમાં આ કાળા મોતીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? 

વાસ્તવમાં કાળો રંગ આપણને લોકોની ખરાબ નજરથી બચાવે છે. જેના કારણે લોકોનું સુખી દામ્પત્ય જીવન લોકોને દેખાતું નથી.

એટલા માટે તમારે એવું મંગળસૂત્ર ક્યારેય ન પહેરવું જોઈએ જેમાં કાળા મોતી ન હોય.

મંગળસૂત્ર ક્યારેય ઉતારવું જોઈએ નહીં. આવું કરવું હિંદુ ધર્મમાં વર્જિત માનવામાં આવે છે. જ્યારે પતિ પત્નીના ગળામાં મંગળસૂત્ર મૂકે છે, ત્યારથીલઈને તેના છેલ્લા શ્વાસ સુધી તેણે મંગલસૂત્ર પોતાના ગળામાં રાખવાનું હોય છે.

તેને શિવનું પ્રતીક પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને ગળામાં પહેરવાથી વધુ ફાયદો થાય છે. તેથી બને ત્યાં સુધી આ ડિઝાઈન વાળુંમંગળસૂત્ર પહેરો.