પાચન શક્તિ
દહી એનિમિયા અને નબળાઈ દૂર કરે છે. દહીં પાચન શક્તિને પણ વધારે છે. તેમજ જે લોકોને ભૂખ ઓછી લાગે છે.
આંતરડાના રોગો
અમેરિકન આહારશાસ્ત્રીઓના મતે દહીંના નિયમિત સેવનથી આંતરડાના રોગો અને પેટ સંબંધિત બીમારીઓ થતી નથી.
હાડકાં
દહીંમાં વધારે માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે તમારા હાડકાંને મજબૂત રાખે છે. આ ઉપરાંત તે દાંત અને નખને પણ મજબૂત બનાવે છે. આ સ્નાયુઓની યોગ્ય કામગીરીમાં મદદ કરે છે.
સાંધાનો દુખાવો
જો ઉંમર વધવાની સાથે તમારા સાંધામાં દુખાવો થતો હોય તો હિંગ નાખીને દહીંનું સેવન કરો. તેનાથી તમારા સાંધાનો દુખાવો થોડા દિવસોમાં જ ખતમ થઈ જશે.
વજન અને પાતળાપણું
જો કિસમિસ, બદામ કે ખજૂર સાથે દહીં મિક્ષ કરીને પાતળા લોકોને આપવામાં આવે તો વજન વધવા લાગે છે, જ્યારે શરીરની વધારાની ચરબી પણ દહીંના સેવનથી દૂર કરી શકાય છે.
સુંદરતા
સ્વાસ્થ્યની સાથે દહીં તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. શરીર પર દહીં લગાવીને સ્નાન કરવાથી શરીરની ત્વચા કોમળ, સુંદર અને ચમકદાર બને છે. દહીંની લસ્સીમાં મધ મિક્સ કરીને પીવાથી સુંદરતા વધે છે.
વાળ માટે વરદાન
દહીં કે છાશમાં વાળ ધોવાથી વાળ સુંદર અને આકર્ષક બને છે. આ માટે ન્હાતા પહેલા વાળમાં દહીંથી સારી રીતે માલિશ કરવી જોઈએ.થોડી વાર પછી વાળ ધોવાથી ડ્રાયનેસ કે ડેન્ડ્રફ ખતમ થઈ જાય છે.
ખાસ વાંચો :
સવારે નિયમિત ગરમ પાણી પીવાથી પાચન શક્તિ સારી રહે છે. ખોરાક પણ સારી રીતે પચી જાય છે. કેટલાક લોકો હંમેશા કબજિયાતની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં, સવારે ગરમ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જો આપણે જમ્યા પછી ઠંડુ પાણી પીશું તો આપણા ભોજનમાં હાજર તેલ ઘન બની જાય છે. અને તે ચરબીનું સ્વરૂપ લેવા લાગે છે, પરંતુ જમ્યા પછી ગરમ પાણી પીવાથી ખોરાક પચવામાં ઘણી મદદ મળે છે.
યોગ્ય રક્ત પરિભ્રમણ- શરીરના સુચારૂ કાર્ય માટે યોગ્ય રક્ત પરિભ્રમણ હોવું ખૂબ જ જરૂરી છે. આમાં ગરમ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. ગરમ પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. તે આખા શરીરમાં ફેલાયેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવી રાખે છે.