આ શાકભાજીની છાલ ન ઉતારવી જોઈએ, સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક

શાકભાજી અને ફળો ખૂબ જ ગુણકારી લહોય છે જો ઘણી વખત આપણે શાકભાજી ફળોની છાલ ફેકી દેતા હોય છે, પણ તમે નહી જાણચા હોવ કે ફળો અને શાકભાજીની જેમ જ છાલમાં પણ ઘણા ગુણો સમાયેલા હોય છે,જે આપણા શરીર માટે ખૂબ જરુરી હોય છે.કેટલાક શઆકભઆજી-ફળોની છાલમાં વિટામીન,આયર્ન,જેવા ખનીજ તેમાં પુરતા પ્રમાણમાં હોય છે જો તેને ખાવા માં આવે તો ઘણા ફાયદાઓ થાય છે,તો ચાલો જાણીએ કે આ ફળો અને શાકભઆજીની છાલમાં કયા ઔષઘિ ગુણો હોય છે. ટામેટા, કાકડી, મૂળા અને ટામેટા જેવી શાકભાજી જેનો સલાડમાં વધુ ઉપયોગ થાય છે, તેનો ઉપયોગ પણ મોટાભાગે લોકો છાલ કાઢીને કરે છે.જો કે આમ ન કરવું જોઈએ કારણ કે તેની છાલમાં અનેક ગુણો સમાયેલા છે,

શક્કરીયા – શક્કરિયાના છોતરામાં પણ ફાઇબર, બીટા-કેરોટીન, વિટામીન સી, વિટામિન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જેમાં હાજર બીટા એન્ટીઑક્સિડેન્ટ આંખોની રોશનીમાં સુધારો અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

આપણે વાત કરીએ કોળાની છાલમાં આયર્ન, વિટામિન A, પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે. જો કે લીલું કોળું મોટાભાગના ઘરોમાં છોલ્યા વગર જ બનાવવામાં આવે છે, પરંતુ પીળા કોળાની છાલ થોડી જાડી હોવાથી લોકો તેની છાલ કાઢી નાખે છે. શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે. લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે. પરંતુ, શું તમે જાણો છો, કેટલીક શાકભાજીની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેની છાલ વાળી ખાવી તે વધુ ફાયદાકારક છે. આજે અમે તમને તે શાકભાજી વિશે જણાવીશું, જેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શાકભાજીમાં પોષક તત્વો હોય છે.

બટાકા

બટાકા ખાવા મોટાભાગના લોકોના ફેવરિટ હશે. ખાસ કરીને બાળકો બટાકા ખૂબ જ ઉત્સાહથી ખાય છે. તે શાકભાજીનો રાજા છે, તમે તેને કોઈપણ શાકભાજીમાં ઉમેરીને ખાઈ શકો છો. બટાકાની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ, આયર્ન, વિટામીન-સી, વિટામીન-એ અને અન્ય ઘણા ગુણો રહેલા છે, તેથી છાલની સાથે બટાટાનું સેવન કરી શકાય છે.

મૂળો શિયાળામાં મૂળા પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો મૂળાની છાલ કાઢીને ખાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. તમે મૂળાનું સેવન છાલ સાથે કરી શકો તો તેમાં મોજૂદ ફાઈબર, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ અને ઘણા વિટામિનનો આપને ફાયદા મળે છે.

કાકડી

સામાન્ય રીતે લોકો કાકડીનો ઉપયોગ સલાડ તરીકે કરે છે. તેની છાલ ઉતારીને ખાવાનું ગમે છે. કાકડીને છાલ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

શક્કરીયા

શક્કરિયાની છાલમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ફાઈબર, વિટામિન-સી, વિટામિન-ઈ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે છાલ સાથે તેનું સેવન કરો છો, તો તે આંખોની રોશની વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કોળુ

કોળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઘણા લોકો તેને છાલની સાથે ખાય છે, જ્યારે કેટલાક લોકો કોળાની છાલને ઉતારીને જ ખાવનનું પસંદ કરે છે. તેમાં વિટામીન-એ, આયર્ન, પોટેશિયમ અને બીજા ઘણા બધા વિટામિન હોય છે, તેથી છાલ સાથે કોળું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.