મૂળાનું સેવન દરેક ઘરમાં થાય છે. મોટાભાગના લોકો તેને સલાડ, શાક અથવા પરાઠાના રૂપમાં ખાવાનું પસંદ કરે છે. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્ય માટે રામબાણ તરીકે કામ કરે છે. આયુર્વેદમાં લીવર અને પેટ માટે મૂળાને કુદરતી શુદ્ધિકરણ માનવામાં આવે છે.
મૂળામાં ઘણા બધા પૌષ્ટિક તત્વો હોય છે જે શરીરને રોગોથી બચાવવામાં મદદરૂપ થાય છે. મૂળામાં કેલરી, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે.
નિયમિતપણે મૂળાનો રસ પીવાથી શરીર ડિટોક્સિફાય થાય છે. જેના કારણે શરીરમાં રહેલા ટોક્સિન્સ દૂર થાય છે. આમ કરવાથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
જો તમે તમારી પાચન શક્તિને મજબૂત કરવા માંગો છો તો મૂળાના રસમાં મીઠું ભેળવીને પીવો. આમ કરવાથી પેટના કીડા પણ મરી જાય છે. 4- લીવર માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે.
જો કે, આયુર્વેદમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારું લિવર તો સ્વસ્થ રહેશે જ, પરંતુ જો તમારું લિવર ગંદુ થઈ રહ્યું છે તો આ ટિપ્સ અપનાવીને તમે થોડા જ દિવસોમાં કિડનીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
લીવર ફેલ થવાને કારણે હેપેટાઈટીસ, ફેટી લીવર, લીવર સિરોસીસ, આલ્કોહોલિક લીવર ડીસીઝ અને લીવર કેન્સર જેવા રોગો થવા લાગે છે. લીવરમાંથી ઝેર દૂર કરવા માટે, આપણે આ રેસીપી સાથે થોડો ત્યાગ કરવો પડશે. જો કે, આ માટે 7 દિવસ સુધી કોઈપણ પ્રકારનું જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. તેમજ ભોજન કરતી વખતે સલાડનું વધુને વધુ સેવન કરવું જોઈએ. આમ કરવાથી લીવરમાંથી ટોક્સિન દૂર કરવાની રેસીપી એક જ વારમાં ગંદકી સાફ કરશે.
હેલ્ધી લીવર મેળવવા માટે અનેક પ્રકારના શાકભાજીનું સેવન કરવું સારું છે. જર્નલ ઑફ ન્યુટ્રિશનના એક લેખમાં જાણવા મળ્યું છે કે બ્રોકોલીના લાંબા ગાળાના સેવનથી ઉંદરોના યકૃતમાં ચરબી જમા થતી અટકાવવામાં મદદ મળે છે. સંશોધકોએ હજુ મનુષ્યો પર વધુ અભ્યાસ કરવાની જરૂર છે.
વર્લ્ડ જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં તાજેતરનું સંશોધન સૂચવે છે કે ગ્રીન-ટી શરીર અને લોહીમાં ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. ગ્રીન-ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટ વધુ માત્રામાં જોવા મળે છે, જે લીવરની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ છે.
નોંધ : અહી આપેલી માહિતી માત્ર જાણ માટે છે, પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.