શિયાળાની ઋતુમાં મોટાભાગે લોકો વેટ વધારતા હોય છે. તેના પાછળનું કારણ એ છે કે ફૂડ ખાધા વગર રહી નથી શકતા અને આ ઋતુમાં આપણે કસરતને લઈને થોડા આળસુ થઈ જઈએ છીએ. જોકે અમુક લોકો પોતાના શરીરને લઈને ખૂબ જ જવાબદાર હોય છે અને પોતાને ફિટ બનાવવા માટે વધારે કામ પણ કરે છે. પાઈનેપલને હિન્દીમાં અનાનસ કહેવાય છે. એક સંશોધન મુજબ અનાનસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઉપરાંત, તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તજ યુક્ત પાઈનેપલ જ્યુસ પીવાથી વધતા વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આ માટે પાઈનેપલનો રસ તૈયાર કરો અને તેમાં સ્વાદ અનુસાર એક ચપટી તજ અને લીંબુનો રસ ઉમેરીને સેવન કરો. જો તમે ઈચ્છો તો ટેસ્ટ વધારવા માટે તમે કાળા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે અમુક લોકો માટે આ કોઈ પહાડ ચઢવા બરાબર હોય છે. આવા જ લોકો માટે અમે એક ઉપાય લઈને આવ્યા છીએ. જે વજન ઓછું કરવા માટે તમારી મદદ કરી શકે છે. હકીકતે અમે વાત કરી રહ્યા છીએ આંબળાથી બનેલી ચાની. તમને જણાવી દઈએ કે આંબળાથી બનેલી ચા તમારૂ વજન ઘટાડે છે અને તેની સાથે જ ઘણા રોગોથી પણ બચાવે છે.
ભારતીય કિચનમાં વર્ષોથી આંબળાનો ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર આંબળાની અંદર એવા ગુણ અને પોષક તત્વ જોવા મળે છે જે વાયુ અને પિત્તમાં પણ રાહત આપે છે. આ ગુણના કારણે જ ઘણી આયુર્વેદિક દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લોકોની શરીર માટે જાગૃતિ વધતી જઈ રહી છે. ત્યારબાદ લોકો આંબળાનો જ્યુસ કાચા આંબળા પણ ખાય છે. પરંતુ તે તમારા જીભનો સ્વાદ બગાડી શકે છે. એવામાં જો તમે આંબળાનું સેવન કરવા માંગો છો તો તમે ઘરમાં બનેલી ચાનું સેવન કરી શકો છો. આ તમારા મેટાબોલિક રેટને સારો કરો છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
સુગરથી ભરપૂર ખોરાક ટાળો, દરરોજ કસરત કરો, દરરોજ સવારે અને સાંજે ગ્રીન ટીનું સેવન કરો અને પ્રોટીનયુક્ત ખોરાકનો આહારમાં સમાવેશ કરો. સાથે જ આંબળામાં ફાઈબર પણ હોય છે જે મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે અને કબજીયાતમાં રાહત આપે છે. સાથે જ તે પાચન ક્રિયાને પણ તંદુરસ્ત બનાવે છે અને અંતમાં સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે. આટલું જ નહીં આંબળાની ચા નિયમિત પીવાના કારણે વજન તો ઓછું થાય છે સાથે જ તમારી બોડીને ડિટોક્સિફાઈ કરવામાં પણ મદદ મળે છે.