કોરોનાને પહોંચી વળવા માટે દરેક સરકારી હોસ્પિટલોમાં થશે મોકડ્રિલ, હાલના સમય બાબતે મળી અધિકારીઓની બેઠક

આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, બેઠકમાં અત્યારની સ્થિતિ વિષે ચર્ચા કરીને જરૂરિયાત હશે તો સરકારને જરૂરી અપીલ પણ કરીશું. ઉલેખનિય છે ચાઈના, અમેરિકા, જાપાન, કોરિયા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ભયાનક લહેર જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ સ્થિતિ પર છે.

રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને મોકડ્રિલ નું આયોજન કરવા આદેશ કર્યા છે. અમદાવાદને લઈને રાજ્યભરમાં બધે જ કોરોનાનું સંક્રમણ ખુબ જ વેગ થી વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ અત્યારે આ સ્થિતિ પર ગંભીરતાથી પગલાં લાય રહ્યા છે. ત્યારે આહનાના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવીએ વાતચીતમાં કહ્યું કે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેવામાં દરેકે સાવધાનીથી રહેવાની જરૂર છે. આપણી જવાબદારી તકેદારી આપણને આ કોરોનાથી બચાવી શકે છે. તેથી દરેકે સરકારની ગાઈડલાઈનને અનુસરવું જોઈએ.

ભરત ગઢવીએ વધુમાં જણાવતા કહ્યું કે, કોરોનાંની સંભવિત લહેરની આશંકા અને સરકારની તૈયારીઓને જોતા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન દ્વારા હોદેદારોની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં તમામ ખાનગી હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓના સબંધીઓ ઉપરાંત કર્મચારીઓને માસ્ક પહેરવા માટે ચુસ્ત પાને કહેવામાં આવ્યુ છે. કોરીનાના સબ વેરિયન્ટ BF.7 તેમજ ખાનગી હોસ્પિટલની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

આહના તરફથી હાલની સ્થિતિ અંગે ચર્ચા કરીને રાજ્ય સરકારને પત્ર લખી જરૂરી અપીલ કરવામાં આવશે. હોસ્પિટલમાં આવનાર દર્દીઓના સગા તેમજ હોસ્પિટલના કર્મચારીઓ માસ્ક પહેરે તેવી સૂચના એસોસિયેશન સાથે જોડાયેલા તમામને કરી ચૂક્યા છીએ દેશમાં BF.7 કોરોનાંના સબ વેરિયન્ટને કારણે કોઈ સમસ્યા નહીં થાય એવું લાગે છે પંરતુ જો કોરોનાનું કોઈ નવું મ્યુટેશન આવે તો તેમના માટે આપણે બધાએ સાવચેત રહેવું પડશે.

ડોક્ટર ભરત ગઢવીએ જણાવ્યું કે, અમે બેઠકમાં હાલની સ્થિતિ બાબતે ચર્ચા કરીને જરૂર જણાશે તો સરકારને જરૂરી અપીલ પણ કરીશું. ઉલેખનિય છે ચાઈના, અમેરિકા, જાપાન, કોરિયા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ભયાવહ લહેર જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને મોકડ્રિલ યોજવા આદેશ કર્યા છે. ભૂતકાળમાં કોરોનાંની ભયાવહ લહેર સમયે સરકારી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા કદમથી કદમ મિલાવીને દર્દીઓને સારવાર અપાઇ હતી. ભવિષ્યમાં વિશ્વના અન્ય દેશોની જેમ જો ફરી ગુજરાતમાં કોરોનાના કેસો વધે તો સરકારી સાથે ખાનગી હોસ્પિટલની દર્દીઓના સારવાર માટે જરૂરિયાત ઊભી થઈ શકે છે.