સુરતની 24 વર્ષીય યુવતી કે જેને ૩ વર્ષનો પુત્ર છે,તે યુવતીએ અંગોનું દાન કરીને ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું.

સુરત(surat):સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે.

સુરત શહેરના ગોડાદરામાં રહેતા 24 વર્ષીય પ્રિતીબેન શુકલાને 3 જૂને બપોરે 1.42 વાગે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ચારેક દિવસની સારવાર બાદ  7મી જૂને રાતે 2  વાગ્યે ન્યૂરોસર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યૂરોસર્જન ડો. કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

આ  યુવતીના બે હાથ, બે કિડની, નાનું આંતરડું તથા લીવરના દાનથી ચાર વ્યકિતઓને નવજીવન મળ્યું છે તથા એક વ્યકિતનું જીવન બદલાશે. સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે  આ 28મું અંગદાન થયું છે.

પરિવારજનોને  ટીમના ડો.નિલેશ કાછડીયાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેથી સ્વ. પ્રિતીબહેનના ભાઈ તથા સસરાએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકાર્યા  હતા.સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ડો. લક્ષ્મણ તહેલયાણી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

સ્વ.પ્રિતીબહેનને ત્રણ વર્ષીય પુત્ર છે.કાલે  બપોરે 1 વાગ્યે બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં તથા લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમછ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

તાપી નદી કિનારે વસેલા આ શહેર લોકોની સેવા માટે જાણીતું છે. ત્યારે અંગદાન કરી અનેક લોકોની સેવા કરવા આ સુરત આગળ છે.