સુરતના પીપોદરા ગામ માં આવેલું છે આઈશ્રી મોગલ ધામ જ્યાં ચુંદડી બાંધવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મોગલ માં ખુબ જ હાજર હજૂર છે,મોગલ ના પરચા ખુબ જ અપરંપાર છે, ઘણા લોકોને મોગલ માતાના સાક્ષાત પરચા થતાં હોય છે. જે દિવસે દુખી માણસ માં મોગલ ના દરબારમાં આવે છે તેના દુઃખ મોગલ માં સાક્ષાત દૂર કરતા હોય છે. ગુજરાતમાં અનેક જગ્યાએ મોગલમાના ધામ આવેલા છે. મોગલમાના મંદિરો સાથે હજારો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી હોય છે.

આવું જ એક મોગલ ધામ સુરતના પીપોદરા ગામે આવેલું છે.,આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે, અને તેઓએ રાખેલી માનતા પૂરી કરતા હોય છે. મંદિરની આગળ એક યજ્ઞ કુંડ આવેલો છે. જેઓએ માનતા રાખી હોય તેઓ આ યજ્ઞકુંડમાં શ્રીફળને હોમતા હોય છે. કહેવાય છે કે ત્યાં આવતા શ્ર્ધાળું  લોકોની દરેક મનોકામનાઓ પૂરી થાય છે.

જો તમે આ મંદિરમાં ગયા હશો તો તમે ત્યાં બાંધેલી ચુંદડીઓ નજરે પડી હશે. જે લોકો આ મંદિરમાં માનતા માને છે અને તેમની માનતા પુરી થાય તો તે લોકો ત્યાં આવીને ચુંદડી બાંધે છે,આ મંદિરમાં એક મૂર્તિ છે તેના પર સિક્કા ચોંટાડવામાં આવે છે જો સિક્કો ચોટી જાય તો તેની માનતા પૂરી થાય છે.

મોગલ માં ના ધામ ઘણી જગ્યાએ આવેલા છે,કચ્છના કબરાવ ખાતે તેમજ ભગુડા ખાતે અપન મોગલ ધામ આવેલું છે,મોગલ માં પર શ્રદ્ધા તેમજ માં પર વિશ્વાસ રાખવાથી માં ભક્તનું કામ અવશ્ય પૂર્ણ કરે છે.