ગુજરાતમાં બાગેશ્વર ધામ જેવા બાલાજી સરકાર હનુમાનજી મંદિરની સ્થાપના કરવામા આવી ,જુઓં ક્યાં બનાવાયું મંદિર ?

રાજકોટ(Rajkot):છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામની ચર્ચા ચારે તરફ થઈ રહી છે .પરંતુ  બાલાજી સરકારના દર્શન કરવા હવે મધ્યપ્રદેશ સુધી લાંબા નહીં થવું પડે. હવે મધ્ય પ્રદેશના બાગેશ્વરધામ પછી બીજુ બાગેશ્વર બાલાજી હનુમાનજીનું મંદિર હવે રાજકોટમાં નિર્માણ પામ્યું છે.

બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બાબા બાગેશ્વર ધામ અને બાલાજી સરકારને સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ અપાવી છે. આ મહિનાની શરૂઆતમાં રાજકોટ ખાતે પણ બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાયો હતો.પરંતુ એ પહેલા રાજકોટમાં બાગેશ્વર ધામ જેવા બાલાજી સરકાર હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે