કબરાવ ધામે આવેલા માં મોગલના ધામે માનતા પૂરી થતા યુવક 1,50,000 લઈને પહોચ્યા માં મોગલના ચરણોમાં.

માં મોગના પરચા અપરંપાર છે,મા મોગલ તેના ભક્તોના બધા જ દુખ દુર કરે છે,માં મોગલ તેના શરણે આવેલા ભક્તોને ખાલી હાથે જવા દેતા નથી.માં મોગલે અનેક ભક્તોને પરચા આપ્યા છે,સંતાનહીન દંપતીને સંતાન સુખ આપ્યું છે.એવો જ એક પરચો હમણા જ માં મોગલે એક યુવકને આપ્યો હતો.

કબરાઉ ખાતે મણીધર બાપુને મળવા એક યુવક આવ્યો હતો ને પોતાની સાથે દોઢ લાખ રૂપિયા લાવ્યો હતો. કબરાઉ ખાતે માતા મોગલ ના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

આવી જ રીતે આ યુવક પણ પોતાની માનતા પૂરી  થતાં દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવ્યો હતો.કબરાઉ આવીને મણીધર બાપુને દોઢ લાખ રૂપિયા આવ્યા અને કહ્યું કે જમીન સંબંધિત એક મામલો  ગુચવાયેલો  હતો,તે મોગલ  માતાની માનતા થી પૂરો થઈ ગયો તેથી તે આ રૂપિયા મંદિરમાં આપવા ઈચ્છે છે.

મણીધર બાપુએ ₹ 1,50,000 ની ઉપર 11 રૂપિયા ઉમેરીને કે યુવકને પરત આપી દીધા. અને કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી તેણે માતા પર શ્રદ્ધા રાખી તેથી આ શક્ય બન્યું છે,મણીધર બાપુએ વધુંમાં જણાવ્યું હતું કે માં મોગલ રૂપિયાના નહિ પરંતુ ભાવના ભૂખ્યા છે.