ભાવનગરના જેસર ગામે માત્ર 2000 માટે યુવકની સરાજાહેર હત્યા કરાઈ,પત્ની હજુ ગર્ભવતી છે.

ભાવનગર(Bhavanagar):આજ કાલ હત્યાના બનાવ માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ ભાવનગરમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે,ભાવનગર જિલ્લાના જેસર ગામે માત્ર 2 હજાર રૂપીયાની ઊઘરાણી કરી છ શખ્સોએ બે સગા ભાઇઓને ગાળો આપી, છરી વડે ગંભીર ઇજા કરી નાસી છુટ્યા હતા,હોસ્પિટલ સારવાર માટે લઇ જતા એક નું મ્રત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ,જેસર ગામે રહેતા મયુરભાઇ મંગાભાઇ બારૈયાએ જેસર પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગયા વર્ષે ગણેશ મહોત્સવમાં તેના કુટુંબી કાકા વિક્રમભાઇ બારૈયાએ 2000 રૂપીયા તુષાર લીંબાભાઇ પરમાર પાસેથી ઉછીના લીધા હતા, જેમાં અવાર નવાર ઉઘરાણી બાબતે ડખ્ખો ચાલતો હતો.

બે હજાર રૂપીયા આ સાતમ – આઠમમાં ચુકવવાનો વાયદો વિક્રમભાઇએ આપ્યો હોવા છતાં તુષાર લીંબાભાઇ પરમાર, લીંબા બાલાભાઇ પરમાર, કૃણાલ ભરતભાઇ પરમાર, ભોથા બાલાભાઇ પરમાર, મુન્ના બીજલભાઇ પરમાર, જયસુખ બાલાભાઇ પરમાર સહિતાનાએ વિક્રમભાઇ તેમજ તેના નાના ભાઇ નરેશભાઇ ઉર્ફે નાનજીભાઇ બારૈયાને પૈસાની ઉઘરાણી કરવા માટે જેસરના ત્રણ ખુણીયે બોલાવી,વિક્રમભાઇ પાસેથી તેનું એક્ટીવા પડાવી લેવાની વાત કરતા વિક્રમભાઇએ તેનું એક્ટિવા આપવાની ના પાડતા જ છ શખ્સોએ ગાળો આપી, જાહેરમાં છરી, ધોકા, લોખંડના સળિયા વડે બંન્ને ભાઇઓ ઉપર જીવલેણ હુમલો કરી ત્યાંથી ભાગી ગયા હતા.

સારવાર માટે મહુવા ખાતે ખસેડાતા જ્યાં ટુંકી સારવામાં નરેશભાઇ ઉર્ફે નાનજીભાઇનું મોત થયું હતું.તેમના ભાઈ વિક્રમભાઈની પણ હાલત ખુબ જ ગંભીર છે,નરેશભાઈના ઘરે આવતા મહીને જ પારણું બંધાવવાનું હતું,તેમની પત્ની ગર્ભવતી છે,નરેશભાઈ પિતા બને એ પહેલા જ દુનિયાને અલવિદા કહી દેતા પરિવારમાં ખુબ જ શોક ફેલાઈ ગયો છે.