તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા ગયેલા ચાર ગુજરાતી સ્ટુડન્ટનાં કાર અકસ્માતમાં મોત : પરિવારને વહેલી તકે મૃતદેહ મળે તેની પરિવારજનો રાહ જોઈ બેઠા છે

હમણાં ને હમણાં વિદેશમાંથી અવારનવાર માઠા સમાચાર આવી રહ્યા છે ત્યારે આ કેસમાં તો ગુજરાતે એકસાથે ચાર સ્ટુડન્ટને ખોયા છે .તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં.

આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા હતા.જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે.તુર્કીમાં કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી છે.

​​​​​​​બનાસકાંઠા જિલ્લાના વડગામના ભોગરોડિયા ગામની અજલીબેન કનુભાઈ મકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી જો કે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા આ દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો .

જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની અંજલિ કનુભાઈ મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનોમાં માતમ છવાયો છે અંજલિનો મૃતદેહ તેમાં પરિવારને વહેલી તકે મળે તેની પરિવાર જનો રાહ જોઈ બેઠા છે.

મૃતકોનાં નામ

1. પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા

2. જયેશ કેશુભાઈ અગાથ

3. અંજલિ કનુભાઈ મકવાણા

4. હીનાબેન પાઠક

ઓમ શાંતિ