આદિવાસી પરંપરાથી અજાણ કૃષિમંત્રી રાઘવજી પટેલ દેશી દારૂ ધરતીને ધરાવવાને બદલે ચરણામૃત સમજી દારૂનો ઘૂંટડો પી ગયા ,

ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર હતા. આ જાહેર કાર્યક્રમમાં આદિવાસી પરંપરા અનુસાર પૂજાવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.

ત્યારે પડિયામાં દેશી દારૂ અભિષેક કરવા માટે તમામને આપવામાં આવ્યો હતો. પ્રધાન રાઘવજી પટેલને પણ પડિયામાં દારૂ અપાયો હતો. જો કે તેમણે દેશી દારુનો અભિષેક કરવાને બદલે પોતે પી ગયા હતા.જ્યારે તેમની બાજુમાં ઉભેલા નેતાઓએ તે દારુ વિધિ અનુસાર જ ધરતી પર ધરાવી દીધો હતો. ત્યારબાદ બાજુમાં ઉભેલા વ્યક્તિએ મંત્રીને કહ્યું હતું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલ ને પોતાની ભૂલ સમજાય હતી.

આ અંગે રાઘવજી પટેલે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે, મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીની વિધિઓ અને રિવાજોથી હું અજાણ છું. પહેલી વખત હું અહીંયા આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃતરુપે હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું. પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું.