સુરતમાં મિત્રની પ્રેમિકા ગમવા લાગતા યુવકે તેની સાથે વાત કરવાની જીદ પકડતા મિત્રએ છરીના ઘા મારી હત્યા કરી.

સુરત(surat):અવારનવાર પ્રેમ પ્રકરણ ને લીધે મારામારીની ઘટના સામે આવતી હોય છે,સુરતમાં પ્રેમ પ્રકરણમાં બે મિત્રો વચે ઝગડો થતો હત્યા સુધી વાત પહોચી ગઈ હતી.

મૃતકનું નામ મોહમંદ જરદાર હોવાનું ખુલ્યું હતું. મૃતક મોહમ્મદ સાડીના કારખાનામાં કામ કરતો હતો જ્યાં પવન જાટ નામનો વ્યક્તિ તેની સાથે કારખાનામાં જ રહેતો અને સાથે કામ કરતો હતો.

આરોપી પવનની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેણે જણાવ્યું કે, પોતે  સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રેમીકા સાથે વાત કરતો હતો, જેની સાથે મિત્રતા કરાવવા માટે મોહમંદ જરદાર મોહમંદ ઈસ્લામ અંસારી દબાણ કરતો હતો. તા. 11 જૂન 2023ના રોજ રાત્રે 9 વાગ્યાની આસાપાસ પવન તથા મૃતક જરદાર ફુલવાડીમાં તાપી નદીની પાળા પર બેઠા હતા.

આ સમયે પવન તેની પ્રેમીકા સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરતો હતો, આ સમયે જરદાર નાઓએ પવનને તેની પ્રેમીકા સાથે વાતચીત કરાવવા માટે કહ્યું હતું. આ વાત પર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને પવને જરદારને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ પછી પવન સુરતથી ટ્રેનમાં બેસીને તેના વતન હરીયાણા ભાગી ગયો હતો.

શાહરૂખની પૂછપરછ કરી ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે પવન મુળ હરિયાણાનો વતની છે.જેના આધારે પોલીસની એક ટીમ પવનને શોધવા માટે તેના વતન  હરીયાણાના બસતાડાગામ, તાલુકો ગરોડા, જીલ્લો કરનાલ પહોંચી હતી.

પોલીસને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે પવન એક દારૂના ઠેકા પર બેસતો હતો. પોલીસે દારૂના ઠેકા પર વોચ રાખીને બેઠી હતી, આ દરમિયાન ત્યાં આરોપી પવનકુમાર ઉર્ફે પોના રામપ્રતાપ મૌણ આવી પહોંચતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.