સુરતના ઉદ્યોગપતિએ બાગેશ્વર બાબા માટે બનાવડાવી ચાંદીની ગદા,ગદાને તૈયાર કરતા થયા 15 દિવસ.

સુરત(surat):બાગેશ્વરબાબા આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,સુરતમાં આવી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી,તો તેને લઈને ખુબ જ  મોટા પાયે સુરતમાં તૈયારી ચાલુ થઇ ગઈ છે.આ  મહિનાના અંતમાં તારીખ 26 અને 27મીએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છ.

હનુમાનના ભક્ત એવા શાસ્ત્રીજીને સુરતના લોકો તરફથી ચાંદીની ગદા ભેટ આપવામાં આવશે. સુરતના ઉદ્યોગપતિ દ્વારા ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. તેઓ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતની યાદગીરી માટે સુરતના ઉદ્યોગપતિ સાંકેત ગ્રુપના માલિક એવા સાબરમલ બુધિયા દ્વારા શાસ્ત્રીજી માટે એક ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે.