સુરત મહાનગર પાલિકાએ રોગચાળામાં પણ રોકડી કરી,છેલ્લા 4 મહિનામાં 6 કરોડ 58 લાખ દંડ તરીકે લોકો પાસેથી વસુલ્યા ..

સુરત (Surat ): સુરત મહાનગર પાલિકા માટે રોગચાળો આવકનું સાધન બન્યું છે.છેલ્લા 4 મહિનામાં સુરત મહાનગર પાલિકાએ કરવેરા સિવાય રોગચાળામાં પણ રોકડી કરી છે.સુરત મનપા રોગચાળો અટકાવવાના બદલે દંડ ફટકારવામાં આગળ છે, તેવા આંકડા સામે આવ્યા છે.

છેલ્લા 4 મહિનામાં પાલિકાને દંડથી 6.58 કરોડની આવક થઇ છે.સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીને રોગચાળા બાબતે પૂછવામાં આવતા તેમને જણાવ્યું છે કે બાંધકામ સાઈટમાં મચ્છરોમાં બ્રીડીંગ મળી આવે છે. જેમાં કામદારો રોગચાળાનો ભોગ બને છે, જેના કારણે તાવ-ઝાડા-ઉલ્ટીના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે તેને અટકાવવા માટે દંડ ફટકારવામાં આવે છે. ઉપરાંત સોસાયટી મહોલ્લામાં ક્લોરીન ટેબ્લેટ વહેંચી રોગચાળો બાબતે જાગૃતિ લાવવામાં આવી રહી છે અને જે લોકો ગંદકી કરતા જણાય છે તેમને દંડ ફટકારવામાં આવે છે.

મેદાન, તરણકુંડો, હોર્ડિંગ્સ, ઢોર ડબ્બાથી લઈને ગંદકી-મચ્છર આ‌વકનો મોટો સ્ત્રોત બની છે.પાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત મિલકતવેરો યુઝર ચાર્જીસ, વ્યવસાય વેરા સાથે નોનટેક્ષ રેવન્યુ પણ છે. મિલકતોના ભાડાં, નેચર પાર્ક, એક્વેરિયમ, લેક ગાર્ડન, મેદાન, લાઈબ્રેરી, તરણકુંડો, હોર્ડિંગ્સ, ઢોર ડબ્બાથી લઈને ગંદકી-મચ્છર-સિંગલયૂઝ પ્લાસ્ટિક, ડિમોલિશન ચાર્જ દબાણના વહીવટી ચાર્જ, રોડ ખોદાણ જેવી નોનટેક્સ રેવન્યુ આ‌વક પણ મોટો સ્ત્રોત બની છે .