રાજકોટ ભાવનગર હાઇવે પર સુરાપુરાનાં દર્શન કરી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો,આખો પરિવાર ફૂટબોલની જેમ ફંગોળાયો.

રાજ્યભરમાં અકસ્માતમાં  બનાવમાં ખુબ જ વધારો થઇ  થઇ રહ્યો છે,હાલમાં રાજકોટ ભાવનગર હાઇવે પર મોટો અકસ્માત સામે આવ્યો છે,રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયું છે.

મળતી માહિતી અનુસાર,33 વર્ષીય હરેશભાઈ લાલજીભાઈ ક્યાડા તેમના 13 વર્ષના પુત્ર જય તેમજ પત્ની અને પુત્રીને સાથે લઈને સરધાર સુરાપુરાનાં દર્શન માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ખારચિયા પાસે તેની બાઈકને ટાટા 407એ અડફેટે લેતા આખો પરિવાર ફૂટબોલની જેમ રસ્તા ઉપર ફંગોળાયો હતો.

જેમાં હરેશભાઈ અને તેમના પુત્ર જયને ગંભીર ઇજાઓ થતા બંનેનું ઘટનાસ્થળે મોત થયું હતું.જ્યારે હરેશભાઈની પત્ની અને પુત્રીને ખુબ જ  ઈજા પહોંચી હતી,પોલીસે ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને  તાત્કાલિક સારવાર માટે ખસેડ્યાં હતાં.

પરિવાર ના પિતા પુત્રનું મોત થતા પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો,તાત્કાલિક મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.