કોટાના કોચિંગમાં 4 કલાકમાં 2 વિદ્યાર્થીનો આપઘાત ..NEETની પરીક્ષામાં 700માંથી માત્ર 250 માર્ક્સ આવતા ૧૮ વર્ષના વિધાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ..

જાન્યુઆરીથી 10 ઓગસ્ટ સુધીમાં કોટામાં આત્મહત્યાના 20 કેસ નોંધાયા છે. તેમાંથી 13 વિદ્યાર્થી બે-ત્રણ મહિનાથી એક વર્ષથી ઓછા સમયમાં કોટા આવ્યા હતા. સાત વિદ્યાર્થીઓએ દોઢ મહિનાથી પાંચ મહિના પહેલાં કોચિંગ સંસ્થામાં એડમિશન લીધું હતું. આ સિવાય આત્મહત્યાના પ્રયાસના પણ  બે કિસ્સા સામે આવ્યા છે.

મળતી જાણકારી મુજબ ,આદર્શ (18) રવિવારે સાંજે 7 વાગ્યે કુન્હાડીના લેન્ડમાર્ક વિસ્તારમાં તેના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે  લેન્ડમાર્ક વિસ્તારમાં તે તેના ભાઈ અને બહેન સાથે ફ્લેટમાં રહેતો હતો.એએસપીએ જણાવ્યું હતું કે ફ્લેટમાં ત્રણ અલગ-અલગ રૂમ છે. રવિવારે ટેસ્ટ આપ્યા બાદ આદર્શ તેના રૂમમાં ગયો હતો.

સાંજે 7 વાગ્યે તેની બહેને તેને ખાવા માટે બોલાવ્યો હતો, પરંતુ તેણે જવાબ આપ્યો નહોતો. આ પછી તેણે પિતરાઈ ભાઈને ફોન કર્યો.બંનેએ લાંબો સમય દરવાજો ખખડાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. આ પછી બંને ભાઈ-બહેનોએ દરવાજો તોડી નાખ્યો.

આદર્શને ફાંસી પર લટકતો જોઈને બીજા ફ્લેટમાં રહેતા લોકોને જાણ કરી. આ પછી તેમણે તેને નીચે ઉતાર્યો પછી, MBS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.  પરંતુ બચાવી શકાયો નહીં. ASPએ કહ્યું- હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. માતા-પિતા આવ્યા બાદ રૂમની તપાસ કરશે.

પોલીસે કહ્યું- પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આદર્શ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ટેસ્ટમાં સતત ઓછા નંબર મેળવી રહ્યો હતો. 700માંથી તે માત્ર 250 માર્ક્સ જ હાંસલ કરી શક્યો હતો. માનવામાં આવે છે કે આ કારણે તેણે ફાંસી લગાવી લીધી. .