ડોક્ટર બનવા માંગતી 17 વર્ષીય દીકરીએ નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવતાં કર્યો આપઘાત: પરિવારની એકની એક દીકરીએ અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં શોકનો માહોલ

સુરત (Surat): સુરત શહેરમાં  કોઈ ને કોઈ કારણોસર આપઘાત ના કેસોમાં વધારો થતો જાય છે એવામાં અમરોલી વિસ્તારમાં એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો.અમરોલી વિસ્તારમાં કિરીટ પ્રજાપતિ પત્ની, એક દીકરી અને બે દીકરા સાથે રહે છે. કિરીટ પ્રજાપતિ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

દીકરી ક્રીનલે હમણાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી જેમાં તે પાસ થઈ હતી. જોકે તેના ઓછા ટકા આવ્યા હતા.મૃતક ક્રીનલના પિતા કિરીટ પ્રજાપતિએ કહ્યું કે, માતા બે દીકરાઓને શાળાએ મૂકવા ગઈ અને મોટી દીકરી ક્રીનલએ ઘરમાં એકલતાનો લાભ લઇ ફાંસો ખાઈ લીધો હતો. માતા ઘરે આવતા જ દીકરીને લટકતી જોઈ જમીન પર ઢળી પડી હતી. બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. દીકરીને પાડોશી ખાનગીમાંથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે, ક્રીનલને ધોરણ 12 સાયન્સમાં 55 ટકા આવ્યા હતા. જ્યારે નીટની પરીક્ષામાં 720માંથી 352 માર્ક્સ આવ્યા હતા. ધોરણ 12 અને નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવવાના કારણે ક્રીનલ હતાશ રહેતી હતી. આ કારણે જ તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે.પરિવારે જણાવ્યું હતું કે, ક્રીનલ પરિવારની એકની એક દીકરી અને લાડકી હતી.

એક પુત્ર ધોરણ 2માં અભ્યાસ કરે તો બીજો પુત્ર ધોરણ 8માં અભ્યાસ કરે છે. ક્રીનલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને તે પાસ પણ થઈ ગઈ હતી. તેને કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું. તેને અભ્યાસમાં સપોર્ટ કરતા હતા.

ઓમ શાંતિ