અમદાવાદમાં પત્નીને મનાવીને પરત લાવવા માટે ગયેલા પતિ પર પત્ની, સાસુ અને બે સાળાએ હુમલો કર્યા બાદ એસિડ પીવડાવી કાસળ કાઢયુ ..

અમદાવાદ(amdavad ):પત્નીને મનાવીને પરત લાવવા માટે ગયેલા પતિ પર પત્ની, સાસુ અને બે સાળાએ હુમલો કર્યા બાદ એસિડ પીવડાવી હત્યા કરી હતી . મળતી જાણકારી મુજબ,પ્રહલાદે વર્ષ 2010માં શાહપુર શંકરભુવન પાસે રહેતી શિલ્પા સાથે બીજા લગ્ન કર્યા હતા .પ્રહલાદ અને શિલ્પાને બે પુત્રી છે, જે તમામ ગીતામંદિર પાસે રહે છે.

એક મહિના પહેલા પ્રહલાદ અને શિલ્પા વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે શિલ્પા તેના માતા-પિતાના ઘરે પિયરમાં જતી રહી હતી. બે દિવસ પહેલા પ્રહલાદ તેને મનાવીને ઘરે પરત લેવા માટે ગયો હતો. જ્યા શિલ્પા, સાસુ શકુબેન તેમજ સાળા મનોજ અને દિપકે ભેગા થઇને તેની હત્યા કરી લીધી છે.

ગઇકાલે સવારે જીગ્નેશ સુતો હતો ત્યારે તેની બહેનનો ફોન આવ્યો હતો અને કહેવા લાગી હતી કે, પ્રહલાદ જેવો કોઇ વ્યકિત શાહપુરના શંકરભુવન પાસે જાહેર રોડ પર પડ્યો છે.જીગ્નેશ સીધો શંકરભુવન પહોંચી ગયો હતો. જ્યાં પ્રહલાદ ફૂટપાથ પર સુતેલી હાલતમાં જોવા મળ્યો હતો.

જેને શરીર પર ઇજાના નિશાન હોવાથી તેને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, ગઇકાલે મારી પત્નીને લેવા માટે મારી સાસરી શંકરભુવન પાસે આવ્યો હતો ત્યારે મારી પત્ની શિલ્પા, મારી સાસુ , સાળાએ ઝઘડાની અદાવત રાખીને માર માર્યો હતો અને રાતે બે વાગે જબરજસ્તી એસિડ પીવડાવીને નાસી ગયા છે. એમ્બ્યુલન્સ આવી જતાં પ્રહલાદને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની ટૂંકી સારવાર બાદ મોત થયું છે.