ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં માતાજીના મંદિરમાં પ્રસાદ તરીકે પીઝા, બર્ગર, અને પાણિપુરીનો ભોગ ચઢે છે. જુઓં શું છે માન્યતા ???

રાજકોટ (Rajkot ): ભારતના મંદિરો આપણી આગવી ઓળખ છે . જેમાં ગુજરાતમાં બધા જ ધર્મોના મંદિરો જોવા મળે છે. પરંતુ અનોખી પ્રસાદીને કારણે હાલ રાજકોટનું જીવંતિકા માતાનું મંદિર ચર્ચામાં આવ્યું છે. કારણ કે, અહી જીવંતિકા માતાને પ્રસાદીમાં સુખડી કે લાડુ નથી ચઢતા. પરંતુ પિત્ઝા, બર્ગર, હોટડોગ તેમજ પાણીપૂરીનો ભોગ ધરાવાય છે. મંદિરમાં પ્રસાદીમાં કોલ્ડ્રીંગ પણ આપવામાં આવે છે. તો ક્યારેક બાળકોને ભેળ, વડાપાઉ, સેન્ડવીચ જેવી વસ્તુઓ પણ અપાય છે.

મંદિરમાં આરતી થાય એટલે બાળકોને ચટાકેદાર પ્રસાદ અપાય છે. આ કારણે અહી મોટી સંખ્યામાં બાળકો પ્રસાદ લેવા આવતા હોય છે.મંદિરના આચાર્ય એઇમપ્રસાદ દવે જણાવે છે કે, અત્યારે કળિયુગ છે. જીવંતિકા માતા ખાસ બાળકોના માતાજી છે. આ કારણે બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે.

વધુમાં જણાવ્યુ હતું કે , જેમ આપણા બાળકોને પ્રિય વસ્તુ આપીએ તો બાળકો સાથે સાથે તેના માતા-પિતા પણ ખુશ થાય છે. તેવી રીતે માતાજીને બાળકોની પ્રિયવસ્તુ પ્રસાદરૂપે ધરવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે.