એસિડ એટેક પીડિતાએ શાહરૂખ ખાન અને તેની એનજીઓ પાસે મદદ માંગી છે: શું શાહરૂખ ખાન મદદ કરશે ????

આ વર્ષની શરૂઆતમાં, શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશન સાથે તેની IPL ટીમ KKRની મેચ દરમિયાન કોલકાતામાં એસિડ એટેક પીડિતોની મુલાકાત લીધી હતી. શાહરૂખ ખાને 2013 માંખાસ કરીને એસિડ એટેક પીડિતો માટે તેનું ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. આ ફાઉન્ડેશન પીડિતોની સુધારાત્મક શસ્ત્રક્રિયા માટે પણ ભંડોળ પૂરું પાડે છે.

એવામાં એક એસિડ એટેક પીડિતા પ્રજ્ઞા પ્રસૂન સિંહની નવું બેંક ખાતું ખોલવાની પરવાનગી નકારી દેવામાં આવી હતી કારણ કે તે બેંક ખાતું ખોલવા માટે જરૂરી KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકી ન હતી. ખરેખર, એસિડ એટેક પછી પીડિતા હવે આંખો મીંચી શકતી નથી.જેના કારણે પ્રજ્ઞાનું બેંક ખાતા માટે KYC પૂર્ણ થઈ શક્યું ન હતું અને તેનું બેંકમાં ખાતું ખોલાવી શકાયું ન હતું. હવે પ્રજ્ઞાએ ટ્વીટ કરીને આ મામલે શાહરૂખ ખાન અને તેની એનજીઓ પાસે મદદ માંગી છે.

પ્રજ્ઞાએ ટ્વીટ કરીને લખ્યું- મને પણ અન્ય લોકોની જેમ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે અને માત્ર એટલા માટે કે તે પોતાની પાંપણ ઝબૂકાવી શકતી નથી, તેનું બેંક ખાતું ખોલવામાં આવ્યું નથી.ટ્વીટમાં શાહરૂખ ખાન અને તેની એનજીઓ મીર ફાઉન્ડેશનને ટેગ કરતાં તેણે લખ્યું – મને આશા છે કે તમે મારી મદદ કરશો અને એસિડ એટેક પીડિતો માટે આ દુનિયાને રહેવા યોગ્ય બનાવવા માટે આગળ આવશો.

પ્રજ્ઞા પ્રસૂન સિંહે આગળ લખ્યું – હું સમજું છું કે આ પ્રક્રિયા લોકો માટે બેંકિંગ સરળ બનાવવા માટે લાવવામાં આવી છે. પરંતુ, મારા જેવા ઘણા લોકો છે જેઓ બેંકની આ જરૂરિયાત પૂરી કરી શકતા નથી. આવા નિયમોના કારણે કેટલાક લોકોના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે.