બાબા બાગેશ્વરના શરમજનક વાક્યથી ભડકી ઉઠી મહિલાઓ,સિંદૂર ન હોય એટલે એવું થાય કે આ પ્લોટ હજુ ખાલી છે.

બાગેશ્વરબાબા થોડા સમય પહેલા ખુબ જ ચર્ચામાં હતા,આજે  ફરી પાછા ચર્ચામાં આવ્યા છે.

હાલમાં જ એક પ્રવચન દરમિયાન બાબા બાગેશ્વરની વિવાદસ્પદ ટિપ્પણીને લીધે મહિલાઓ સહિત જનતા રોષે ભરાયા હતાં. તેમણે કહ્યું કે માની લો કે, ‘માંગમાં સિંદૂર ન ભરેલ હોય અને , ગળામાં મંગળસૂત્ર ન પહેરેલ હોય તો આપણે લોકો શું સમજીએ કે ભાઈ આ પ્લોટ હજુ પણ ખાલી છે.’

ટિપ્પણી બાદ અનેક લોકો બાબાનાં આ વીડિયોની સાથે લખી રહ્યાં છે કે આવી વાતો કરનારા સંત કે કથાવાચક ન હોઈ શકે. અનેક મહિલાઓએ બાબાનું આ નિવેદન સાંભળ્યાં બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

વીડિયોમાં એક ભાગમાં બાબા કહે છે કે , ‘ ડોગ 2 પ્રકારનાં હોય છે. એક હોય છે પાલતૂ અને બીજો હોય છે ફાલતૂ. પાલતૂનાં ગળામાં પટ્ટો હોય છે તેવી જ રીતે જે રામજીનાં પાલતૂ હોય છે તેના ગળામાં કંઠીમાળા હોય છે.’