ફરી ધ્રૂજી કચ્છની ધરા, 3.2ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો

હાલમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભૂકંપનો હળવો આંચકોફરીએક વાર અનુભવ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી 28 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે. હાલમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભૂકંપનો હળવો આંચકોફરીએક વાર અનુભવ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી 28 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે. ગઈ કાલે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

અમરેલીથી 44 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 હતી, તો સવારે 11.54 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા આવતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જો કે ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી. અગાઉ નવ-દસ દિવસ પહેલા પણ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ આજે ફરી એક વખત કચ્છની ધરા ધ્રૂજી છે. કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવાા મળી રહ્યો છે. તે સમયે કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

જ્યારે કચ્છના દુધઈથી 25 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. કચ્છમાં આંચકાના આગલા દિવસે મોડીરાતે સુરતમાં 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જ્યારે સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ સાવરકુંડલા, કચ્છમાં પણ આવી ભૂકંપના આંચકા ચૂક્યા છે.