પતિ-પત્ની ઔર વો : પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમીને પામવા પોતાના પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા ..

જુનાગઢ (Junagdh):  હત્યાના મામલામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે એવામાં હત્યાનો આ બનાવ સાંભળીને તમારો  સંબંધો પરથી વિશ્વાસ ઉડી જશે . મળેલી જાણકારી મુજબ વીરડી ગામમાં રહેતા 40 વર્ષીય ભાવેશ પરમારે વર્ષ 2011માં સુધા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને પતિ-પત્ની પોતાના પરિવારમાં રાજીખુશીથી રહેતાં હતાં. આ દરમિયાન તેમને બે સંતાનો થયાં હતાં.

ભાવેશ પરમાર ખેતીની સાથે સાથે જમીનની લે-વેચનો વ્યવસાય પણ કરતો હતો. જોકે સમય જતાં ભાવેશ કેન્સરની બીમારીમાં સપડાયો હતો.ભાવેશને મોઢાનું કેન્સર થતાં તેણે ઓપરેશન પણ કરાવ્યું હતું. જોકે મોઢાના કેન્સરનું ઓપરેશન કરાવ્યું હોવાથી ભાવેશને બોલવામાં થોડી તકલીફ પડતી હતી. આના કારણે પત્નીને ભાવેશ સાથે અણગમો થયો હતો.

આ દરમિયાન ભાવેશ પરમારે પોતાની આંબલગઢ આવેલી જમીનને વેચવા માટે વીરડી ગામથી નજીકના અમરાપુર ગામમાં રહેતા ભરત વાઢિયા નામની વ્યક્તિ સાથે સુધાની મુલાકાત કરાવી હતી. આ વાતચીત સમય જતાં પ્રેમમાં પરિણમી ને સુધા તથા ભરત એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયાં હતાં, પરંતુ આ પ્રેમમાં ભાવેશ ગમે ત્યારે આડખીલી બની શકે છે એવો બંનેને ડર હતો.

એક રાતે મોકો મળતાં જ ભરત અને સુધાએ ભાવેશ પરમારને માથામાં કુહાડીના હાથાના ઘા મારી ભરતની હત્યા કરી નાખી.. હત્યા તો કરી, પણ પકડાઇ જવાનો બંનેને ડર લાગ્યો, આથી હત્યાને અકસ્માતમાં ખપાવવા બંને માસ્ટર પ્લાન બનાવ્યો.

પ્લાન બનાવ્યા પ્રમાણે ભરતે ભાવેશની લાશને બાઇક આગળ મૂકી અને વીરડીથી થોડે દૂર આવેલા પુલ પર પોતે ચાલુ બાઇકમાં ઊતરી ગયો અને ભરતની લાશ સાથે બાઇક પુલથી નીચે પડી,. જેથી આ હત્યા નહીં, પણ અકસ્માતનો જ કેસ લાગે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી અને પીએમ રિપોર્ટમાં હત્યાનો બનાવ સામે આવ્યો, જેથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી અને પોલીસે કડક પૂછપરછ કરતાં સુધા ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો. અત્યારે પોલીસે મૃતકની પત્ની સુધા અને તેના પ્રેમી ભરતની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.