મહેસાણામાં માતા અને બે સંતાનોનો અકસ્માત થતા ઘટનાસ્થળે મોત,પરિવાર વેર વિખેર થયો.

મહેસાણા(mahesana):રાજ્યભરમાં ખુબ જ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે,હાલ મહેસાણામાંથી કમકમાટી ભર્યો અકસ્માતની ઘટના સામે આવ્યો છે, સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ નજીક પુલના છેડે છાપરું બાંધીને પોતાનાં બાળકો સાથે માછલીનું વેચાણ કરતી મહિલા પર એક બેફામ ચાલકે પોતાની કાર બેદરકારીપૂર્વક સીધી છાપરામાં ઘુસાડી દેતા માતા સહિત કુલ ચાર લોકોને હડફેટે લીધા હતા.

અકસ્માતમાં માતા અને તેના બે સંતાનોમાં મોત નીપજ્યાં હતા.જ્યારે એક બાળકીને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી.અકસ્માત સર્જનાર  કારચાલકને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો.

મૂળ રાજકોટના અને છેલ્લાં 30 એક વર્ષથી મહેસાણા જિલ્લાના ધરોઈ વિસ્તારમાં રહેતો અને પરિવાર માછલી વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જે પરિવારનાં ગીતાબેન વાઘેલા પોતાના પુત્ર આકાશ, દીકરી કરિશ્મા અને બીજી દીકરી કિંજલ આમ ચાર લોકો ધરોઈ નદી કિનારે આવેલા પુલ નજીક છાપરું બાંધીને માછલીનો વ્યાપર કરીને ગુજરાન ચલાવતા હતા.

ત્યાં  અચાનક જ  આઈ-10 કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે ચલાવી સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઇ બેસતા માછલી વેચતા પરિવારના છાપરામાં કાર ઘુસાડી દેવામાં આવી હતી.,આ ચાર લોકો પર ગાડી ઘસી આવતા મોતની ચીચીયારીથી છાપરું ગુંજી ઉઠ્યું હતું.,ઘટના બનતા જ તાત્કાલિક 108 ની મદદથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબે  50 વર્ષીય ગીતાબેન, 13 વર્ષીય દીકરો આકાશ અને તેમની 30 વર્ષીય દીકરી કરિશ્માનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 15 વર્ષીય કિંજલ જેની હાલ સારવાર ચાલી રહી છે.,મૃતક દીકરી કરિશ્માને સાત માસનો ગર્ભ હતો, તે પોતાની માતાના ઘરે રહેતી હતી અને માતાને માછલીઓના વ્યાપારમાં ખુબ મદદ કરતી હતી. જેનું પણ મોત થતાં તેના પેટમાં રહેલું માસૂમનું પણ મોત થયું હતું.