સુરત(surat):સુરતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે.વાલીની મંજૂરી વગર થયેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. ડુમસના ગવિયર વિસ્તારમાં એક 21 વર્ષીય પરિણીતાએ પ્રેમ લગ્નના એક વર્ષમાં ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, સાસરિયાં દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાથી મારી બહેને આપઘાત કર્યો છે. પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી લેવાનું ફરજિયાત કરવું જોઈએ.
એક વર્ષ પહેલા કરીનાએ પરિવારની મરજી વિરૂદ્ધ કિશન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્રણ મહિના બાદ પરિવારે દીકરીને સ્વીકારી લીધી હતી અને દીકરી પિયરમાં પણ આવતી હતી.સુરતના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય કરીના કિશન પટેલ પરિવાર સાથે રહેતી હતી.
કરીનાના ભાઈ નિરવ પટેલે જણાવ્યું હતું કે, કરીના પરિવારમાં એકની એક લાડકી દીકરી હતી, અને એજ્યુકેટેડ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી ગવિયરમાં રહેતા કિશનના સંપર્કમાં આવ્યા હતા, એક વર્ષ પહેલાં ભાગીને લગ્ન કરતા પરિવાર તૂટી ગયું હતું. લગભગ 3 મહિના સુધી અબોલાની જેમ રહ્યા હતા.
જોકે એકની એક દીકરી અને બે ભાઈઓની લાડકી હોવાથી એને સ્વીકારી ઘરે બોલાવતા થઈ ગયા હતા.,કરીના ઘરે આવતી ત્યારે માતાને જણાવ્યું હતું કે, કિશન કોઈ કામ નથી કરતો અને મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું કહી લગ્ન કર્યા હતા. હવે પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરે છે. ઘરમાં પણ કામકાજને લઈ માનસિક ત્રાસ આપે છે. સાસરીમાં ઘર ચલાવવાના પણ રૂપિયા નથી.
કરીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિલ ખસેડ્યો છે. જ્યારે પોલીસ દ્વારા પણ પરિવારના આક્ષેપને લઈને તપાસ કરવામાં આવી રહી છે.