સુરતના એક જ વિસ્તારમાં બે માસુમના મોત : હોસ્પીટલમાં હદય થંભી જાય તેવા દ્રશ્યો ,એક અઢી વર્ષનું અને બીજું સાડા ત્રણ વર્ષનું .

સુરત (Surat ): ચોમાસામાં વરસાદ ને કારણે રોગચાળામાં વધારો જોવા મળે છે આ રોગોને કારણે બે માસુમે પોતાનો જીવ ખોયો છે .મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લાં 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.પરિવારમાં પત્ની, બે દીકરી અને નાનો દીકરો છે. પિતા રાજેશે જણાવ્યું હતું કે અઢી વર્ષીય લક્કી રાત્રે ઊલટીઓ કરવા લાગ્યો હતો. 4થી 5 વાર ઊલટી થઈ હતી.

આ પહેલાં કંઈ જ ન હતું. અચાનક જ બીમાર પડી ગયો હતો.સિવિલ લાવ્યા તો તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતથી માતા અને પિતા બંને ભાંગી પડ્યાં હતાં.

બીજા બાળકની મળતી જાણકારી મુજબ ,મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં સુનીલ કુમાર પરિવાર સાથે રહે છે. સાડાત્રણ વર્ષીય દીકરો શત્રુઘ્નની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી.

આ દરમિયાન આજ સવારે ઠંડો પડી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.લક્કી અને શત્રુઘ્નના મોતથી હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. કોઈના પિતા ખંભા પર દીકરાને લઈ જતા નજરે પડ્યા તો કોઈની માતા બેડ પર દીકરાના મૃતદેહ આગળ રડી રહી હતા . માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલમાં ગમગીની છવાઇ ગઈ હતી.