ભાવનગરમાં બોર તળાવના 50 ફૂટની ઊંચાઈના પાળા પરથી છલાંગ લગાવી યુવાનો દ્વારા કરવામાં આવ્યા જોખમી સ્ટંટ કરવામાં આવ્યા ..

ભાવનગર (Bhavanagar ):યુવાનો દ્વારા રિલ્સ બનાવવાની ઘેલછામાં  જોખમી સ્ટંટ વારંવાર કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભાવનગરના બોર તળાવના પાળા પરથી છલાંગ લગાવવાના જોખમી સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવી રહેલાની રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ  થવા બાદ હવે મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.અહીં મનપાની કડક સિક્યુરિટી હોવા છતાં યુવકોએ બિન્દાસ્ત રીલ બનાવતા સવાલો ઉઠ્યા છે.

ભાવનગર મનપા કમિશ્નરે કહ્યુ હતુ કે, આસપાસના રહેણાંક વિસ્તારના યુવાનો અહીં આવતા હોય છે અને આવા જોખમી સ્ટંટ સમાન છલાંગ લગાવતા હોય છે. આ માટે હવે સૂચના કરવામાં આવી છે કે, બોર તળાવના ગેટની સીડીનો માર્ગ બંધ કરીને દરવાજા પર તાળુ મારવામા આવે અને સિક્યૂરિટી દ્વારા સાવચેતી સાથે દેખરેખ રાખવામાં આવશે.

યુવકો જ્યારે આ રીલ બનાવી રહ્યા છે ત્યારે અહીં કેટલાક લોકો પણ તમાશો જોતા જોવા મળી રહ્યા છે. જરુરિયાત મુજબ મનપા દ્વારા પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે એમ કમિશ્નરે બતાવ્યુ હતુ.