T.V. અભિનેત્રી તુનિષા શર્માએ કરી આત્મહત્યા, જાણો પાછળ નું કારણ

તુનિષા શર્મા 4 જાન્યુઆરી 2002  એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી હતી. તેણીએ 2015 માં ચાંદ કવર તરીકે ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ સાથે અભિનયની શરૂઆત કરી હતી.[3] શર્મા ચક્રવર્તિન અશોક સમ્રાટમાં રાજકુમારી અહંકારા, ઈશ્ક સુભાન અલ્લાહમાં ઝરા/બબલી અને ઈન્ટરનેટ વાલા લવમાં આધ્યા વર્માની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તુનિષા ચાના બ્રેક દરમિયાન વોશરૂમ માં ગઈ હતી અને ઘણા સમય સુધી પણ બહાર ન આવવાના કારણે દરવાજો તોડવામાં આવ્યો હતો.

તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે પોલીસ ઘટનાસ્થળે જઈ રહી છે. તુનિષા શર્માએ ટીવી સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબૂલ અને ફિલ્મ ફિતુરમાં કામ કર્યું છે. તુનિષા શર્મા માત્ર 20 વર્ષની હતી. માહિતી અનુસાર તે અલીબાબા સિરિયલનું શૂટિંગ કરી રહી હતી. તેણે થોડી ક્ષણો પહેલા જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, તેમાં એ સેટ પર મેક-અપ કરતી અને ત્યાં હાજર લોકો સાથે વાત કરતી જોવા મળી હતી.

તુનિષા શર્માએ તેની કારકિર્દીની શરૂઆત ઐતિહાસિક શો ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપથી કરી હતી. તેમજ તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂછવાલા, શેર-એ-પંજાબ: મહારાજ રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં પણ કામ કર્યું હતું. તુનિષા શર્માએ ઘણી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કરીને નાની ઉંમરમાં પોતાની ખાસ કારકિર્દી બનાવી હતી.

તુનિષાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. કહેવાયું છે કે તુનિષા શર્મા એક્ટર શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. તુનિષા કેટરીના કૈફ-વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓની ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આખરે એવું તો શું કારણ હશે કે તુનિષાએ અચાનક આટલું મોટું પગલું ભરવું પડ્યું હતું. પોલીસના કહ્યા મુજબ તુનીશા પાસેથી કોઈ જ સુસાઈડ નોટ મળી નથી. આ કેસમાં આત્મહત્યા અને હત્યાના બંને એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલે નાયગાંવ સ્થિત ટીવી સિરિયલ સેટના સ્ટાફ અને અન્ય સહયોગીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. તુનીશા તેની માતા સાથે મુંબઈમાં રહેતી હતી. માતાએ તુનીશાના મિત્ર શીજાન પર આરોપ લગાવ્યો છે. માતાએ કહ્યું કે તુનીશાએ શીજાનથી નારાજ થઈને આત્મહત્યા કરી હતી. શીજાન ટીવી શો અલી બાબામાં તુનીશાનો કો-એક્ટર હતો.