વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વના દિવસે ભુદેવોએ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી

વાપીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંસ્થા ખાતે ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ અને અન્ય રાજ્યના બ્રહ્મ સમાજના આગેવાનોને બોલાવી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ મિતેષ ત્રિવેદીએ વિગતો આપી હતી કે રક્ષાબંધન પર્વના દિવસે ભૂદેવો પોતાની જનોઈ બદલે છે. યજ્ઞોપવિત સંસ્કાર વિધિ એ સનાતન ધર્મના 16 સંસ્કાર પૈકીનો આ એક મહત્વનો સંસ્કાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે 55 જેટલા ભેદેવોએ સમૂહમાં તેમની યજ્ઞો પવીત બદલાવી હતી. તો, કાર્યક્રમમાં અન્ય રાજ્યના જેવા કે વિપ્ર ફાઉન્ડેશન, મરાઠી બ્રહ્મ સમાજ, ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજના આગેવાનોને બોલાવી સમાજની ઉન્નતિ માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યાં હતા. તેમજ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાપ્રસાદ નું પણ આયોજન હોય અંદાજિત 350 જેટલા બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ દિવસે વાપીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે 55થી વધુ ભુદેવોએ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર વિધિમાં ભાગ લઈ પોતાની જનોઈ બદલી હતી. આ દિવસ પ્રાયશ્ચિત અને પૂર્વજોને યાદ કરવાનો દિવસ છે. એટલે તમામ ભુદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરી હતી. આખા વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા થયેલ પાપ નું પ્રાયશ્ચિત કરી પૂર્વજોને યાદ કર્યા હતાં. લાખો વર્ષ જૂની આ પરંપરા જળવાય રહે તેવા સંકલ્પ લીધા હતાં. યજ્ઞોપવિત એ ઉપવસ્ત્ર છે. જે વૈદિક કર્મના આરંભ પહેલા ધારણ કરવામાં આવે છે. વર્ષો જુની આ પરંપરા મુજબ વર્ષમાં 2 વાર જનોઈ બદલવાનો રિવાજ છે. જેમાં એક મકર સંક્રાંતિ ના દિવસે અને બીજો રક્ષા બંધનના દિવસે જે ધારણ કર્યા બાદ વૈદિક કર્મનો આરંભ કરવામાં આવે છે. આજ ના દિવસે ભૂદેવો દ્વારા પિતૃ તર્પણ વિધિ કરી નવી જનોઈ ધારણ કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા યોજાયેલ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કાર્યક્રમ માટે આજીવન યોગદાન આપનારા રાવલ પરિવારનું, સ્વામિનારાયણ સંસ્થાના સંતોનું, સમાજને માટે સેવાકીય પ્રવૃત્તિ કરતા ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ, મરાઠી બ્રહ્મ સમાજના અગેવાનોનું શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સમાજ સતત પ્રગતિ કરતો રહે સેવાકીય પ્રવૃત્તિ માં સમાજના લોકો સાથ સહકાર પૂરો પાડતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી.